ઉમરાવતી નગરી (ઉમરેઠ) સ્થિત દક્ષિણ પૂર્વ દિશામાં આવેલું આ પ્રાચીન શિવાલય શ્રી ચંદ્રમૂળેશ્વર મહાદેવ સ્વયંભૂ છે.
ઇસ.પાંચમી સદીમાં એટલે કે ૧૫૦૦ વર્ષ પહેલાં ઉમરેઠ નગરની સ્થાપના ( ઇ.સ.૫૧૨) પહેલાં શ્રી ચંદ્રમૂળેશ્વર મહાદેવનું મંદિર હતું તેની હયાતીનાં પુરાવા હજીય યથાવત છે.
ત્યારબાદ આ મંદિરનો જીણોદ્યાર સંવત 1781 ચૈત્ર વદ સાતમને ગુરુવારે સિધ્ધરાજ જયસિંહની માતા મિનળદેવીએ કરાવેલ હોવાની દૃઢ માન્યતા છે.





















